
8th Pay Commissionને લઈને મોટી અપડેટ આવી છે. બેસિક સેલેરી અને પેન્શનમાં વધારો થવાની શક્યતા. કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી.
કેન્દ્ર સરકાર તરફથી 8th Pay Commission માટે મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવી જાહેરાત મુજબ, employees અને Pensions માટે આવકમાં વિશાળ વધારો થવાની શકયતા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, 8th Pay Commissionના અમલથી લગભગ 47.85 લાખ કેન્દ્રીય employees અને 68.62 લાખ Pensions લાભાર્થી બનશે. ખાસ વાત એ છે કે, એકવાર કેન્દ્રીય સ્તરે અમલ થયા પછી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પણ તેનું નફો મળશે.
માહિતી અનુસાર, Finance Ministry દ્વારા 8મા પગાર પંચ માટે 35 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. 17 એપ્રિલ, 2025ના રોજ નાણા મંત્રાલયે પરિપત્ર બહાર પડ્યો હતો, જેમાં જણાવાયું હતું કે 8મા પગાર પંચ માટે deputation આધારે નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ પર કામ કરનારા કર્મચારીઓ કમિશનની રચનાથી લઈને તેના વિઘટન સુધી કામગીરી બજાવશે.
8મા પગાર પંચમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે, ખાસ કરીને Basic Salaries અને DA (મોંઘવારી ભથ્થાં)માં. સરકાર fitment factorને હાલના 2.57થી વધારીને 2.85 કરવાનો વિચાર કરી રહી છે. આના કારણે સરકારી કર્મચારીઓના લઘુત્તમ Basic Salariesમાં ઉછાળો આવી શકે છે. સાથે સાથે મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA) અને મુસાફરી ભથ્થું (TA) પણ નવા Basic Salariesના આધારે ફરીથી નક્કી કરવામાં આવી શકે છે.
હાલમાં, સરકારએ DAમાં 2 ટકા વધારો કર્યો છે, જેના કારણે DA 55 ટકા સુધી પહોંચી ગયો છે. હવે ચર્ચા છે કે નવા પગાર પંચ પછી DAને સીધો Basic Salariesમાં જ સમાવી શકાય છે, જે કર્મચારીઓ માટે એક મોટી રાહત બની શકે છે.
વર્તમાન 7th Pay Commission પછી હવે સમગ્ર દેશના સરકારી employees અને Pensions નવા પગાર પંચની આશા સાથે રાહ જોઈ રહ્યા છે. જો કે, હજુ સુધી 8th Pay Commissionની પેનલને લઈને કોઈ સત્તાવાર નિમણૂક થઈ નથી. છતાં, નાણા મંત્રાલયે શરૂઆત કરી દીધી છે અને આથી આશા છે કે આગામી સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં મહત્વપૂર્ણ વધારો જોવા મળશે.
8th Pay Commissionના અમલથી મધ્યમ વર્ગના લાખો પરિવારોના જીવનસ્તર પર સકારાત્મક અસર પડશે. સરકારના નિર્ણયથી એક તરફ બજારમાં ખર્ચાત્મક પ્રવૃત્તિમાં વધારો થશે તો બીજી તરફ લોકોના બચત દરમાં પણ વધારો થવાની શક્યતા છે.