પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8th Pay Commission બનાવવાની મંજૂરી આપી છે. આ કમિશન 2026થી અમલમાં આવશે. સરકાર દ્વારા આઠમું પે કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોના નામોની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
લોકો આઠમું પે કમિશનની કાયમ આતુરતાથી રાહ જોતા હતા. પીએમ મોદીના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ફાયદો મળશે. આઠમું પે કમિશન 2026થી અમલમાં આવશે અને તેનું સમારંભ ટૂંક સમયમાં થશે. 7મું પે કમિશન 2016માં લાગુ પડ્યું હતું અને તેનું કાર્યકાળ 2026 સુધી છે. આ અંગેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે.
મોદી સરકારનો મોટો નિર્ણય, 8મા પગાર પંચને લીલી ઝંડી, સરકારના કર્મચારીઓને થશે મોટો ફાયદો
ક્યારે લાગુ થશે?
આઠમું પે કમિશન 2026થી લાગુ પડશે. આ નિર્ણય પહેલા જ લેવાઈ ગયો છે જેથી સમયસર સૂચનાઓ અને ભલામણો જોઈ શકાય. અત્યાર સુધીમાં કેન્દ્રના કર્મચારીઓને 7મું પે કમિશન પ્રમાણે પગાર મળતો હતો. 8મું પે કમિશન લાગુ થવાથી કર્મચારીઓના પગારમાં મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે. આ કમિશન રિટાયર્ડ કર્મચારીઓના પેન્શન અને ભથ્થાઓમાં પણ વધારો કરશે.
કેટલો વધશે પગાર?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આઠમું પે કમિશન આવવાથી મિનિમમ પગાર 34,560 રૂપિયા સુધી પહોંચે તેવી ધારણા છે. પેન્શન તરીકે 17,280 રૂપિયા +DR મળવાની શક્યતા છે, જેનું અર્થ છે કે મિનિમમ પગારમાં લગભગ 186% નો વધારો થશે. પ્રમોશન અને પગાર વધારાના કારણે પેન્શન પણ વધશે.
8th Pay Commission શું છે?
કેન્દ્ર સરકાર એક કમિશન રચે છે, જેને પે કમિશન કહેવામાં આવે છે. તે સરકારના કર્મચારીઓના પગાર ઢાંચામાં ફેરફારની ભલામણ કરે છે. છેલ્લું એટલે કે 7મું પે કમિશન 2014માં રચાયું હતું અને 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યું હતું. તે વખતે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પે કમિશન રચવામાં આવે છે.