મોરબીનું તંત્ર રાજવી પરિવારની ગરિમા જાળવવામાં નિષ્ફળ? - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

મોરબીનું તંત્ર રાજવી પરિવારની ગરિમા જાળવવામાં નિષ્ફળ?

મોરબી શહેરની સુખાકારી માટે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છતાં, સરકારી તંત્ર ઘણી વખત જનસામાન્યની સમસ્યાઓ સમજવામાં નિષ્ફળ નિવડે છે. આનો તાજો ઉદાહરણ મોરબીના રાજવી પરિવાર સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સ્થળ સાથે જોડાયેલી ભૂલમાં જોવા મળ્યું.

Author image Aakriti

મોરબી શહેરની સુખાકારી માટે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છતાં, સરકારી તંત્ર ઘણી વખત જનસામાન્યની સમસ્યાઓ સમજવામાં નિષ્ફળ નિવડે છે. આનો તાજો ઉદાહરણ મોરબીના રાજવી પરિવાર સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સ્થળ સાથે જોડાયેલી ભૂલમાં જોવા મળ્યું.

મોરબીના સ્ટેશન રોડ પર આવેલા મહારાણી શ્રી નંદકુંવરબા ધર્મશાળા પર તંત્ર દ્વારા રેન બરેસા બનાવવામાં આવ્યું હતું. આ આશ્રયગૃહ નિરાધાર લોકો માટે બનાવવામાં આવ્યું છે અને ત્યાં "મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ મોરબી" લખવામાં આવ્યું છે. જોકે, બોર્ડ પર મહારાણીનું નામ યોગ્ય રીતે લખાયું નથી, જે રાજવી પરિવારની ગરિમા માટે આઘાતજનક બાબત બની છે.

આ અક્ષર સંબંધિત ભૂલ સુધારવા માટે એક કે બે દિવસનો સમય પૂરતો છે, પણ તંત્રએ હજી સુધી તેને સુધારવાની તકેદારી લીધી નથી. મહારાણીનું નામ પણ યોગ્ય રીતે વાંચી શકાતું નથી, જેના કારણે રાજવી પરિવાર અને સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાયો છે.

મોરબીમાં રાજવી પરિવારની અનેક સંપત્તિઓ અને ઇમારતો તંત્રને સોંપવામાં આવી છે, જેથી તે જનહિતમાં ઉપયોગમાં લઈ શકાય. છતાં, આટલી મોટી ભૂલ કરવામાં આવે અને તેને તંત્ર દ્વારા દુરસ્ત ન કરવામાં આવે, તો રાજવી પરિવારની પ્રતિષ્ઠા માટે આઘાતજનક બાબત બને.

સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે મોરબી મહાનગરપાલિકા તાત્કાલિક ધ્યાન આપે અને આ ભૂલને તુરંત સુધારે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો આ મુદ્દો વધુ ગંભીર બની શકે છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News