
મોરબીમાં શૈક્ષણિક મહા સંઘ દ્વારા રાજ્ય કારોબારી બેઠકમાં 26 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા.
16 ઓગસ્ટથી, જો જૂની પેન્શન યોજના લાગુ ન થાય તો શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની ચીમકી.
મોરબીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં મોરબીના શૈક્ષણિક મહાસંઘે શાળા, બાળક અને શિક્ષકોના હિત માટે 26 પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા.
શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપીત કરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે. 2005 પહેલા જોડાયેલા શિક્ષકોને આ યોજના લાગુ કરવા માટે ઠરાવ પાસ કરવા જણાવાયું છે. જો આ યોજના પુનઃ સ્થાપિત નહીં થાય તો 16 ઓગસ્ટથી આંદોલન શરૂ થશે.
આ બેઠકમાં શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.