બનાસકાંઠા વિભાજન મુદ્દે મોટા સમાચાર, ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં ફેર વિચારણા શક્ય - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

બનાસકાંઠા વિભાજન મુદ્દે મોટા સમાચાર, ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં ફેર વિચારણા શક્ય

Gandhinagar News: બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જનતા અને સ્થાનિક નેતાઓ દ્વારા ઉઠાવાયેલા વિરોધ વચ્ચે આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં બનાસકાંઠાના વિભાજન પર ફરીથી વિચાર કરવા અંગે ચર્ચા થશે.

Author image Aakriti

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જનતા અને સ્થાનિક નેતાઓ દ્વારા ઉઠાવાયેલા વિરોધ વચ્ચે આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં બનાસકાંઠાના વિભાજન પર ફરીથી વિચાર કરવા અંગે ચર્ચા થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછીના વિવાદો અને આર્થિક, સામાજિક પ્રભાવ અંગે વિશદ સમિક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકાર આ મુદ્દે લોકોને શાંતિપૂર્ણ અને યોગ્ય નિવારણ આપવા માટે ફરી વિચાર કરશે.

મંત્રીમંડળની આ બેઠક સવારે 10 વાગે શરૂ થશે, જેમાં સરકારના નીતિ વિશયક મુદ્દાઓ, આગામી બજેટ સત્ર અને વિધાનસભામાં રજૂ થનારા વિધેયકો પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

આ સાથે, રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાના કારણે આ ચૂંટણી મુદ્દે પણ ચર્ચા થઇ શકે છે. બજેટ સત્ર દરમિયાન કોઈ મોટી નીતિ સંબંધિત જાહેરાતો થવાની શક્યતા ઓછી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિમુખ રહેશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News