Chandipura virus: 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Chandipura virus: 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક

ગુજરાતમાં નવો ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગ ચિંતિત છે અને તાત્કાલિક પગલાં લઈ રહ્યું છે.

Author image Aakriti

કોરોના પછી ગુજરાતમાં એક નવો અને ઘાતક વાયરસ આવ્યો છે, જે બાળકોને જલદી ઝપટમાં લઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 4 બાળકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક બેઠક બોલાવી છે.

આજે બપોરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની વીડિયો કૉન્ફરન્સ યોજાશે, જેમાં રાજ્યના આરોગ્ય કમિશનર, આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ જોડાયા હતા. આ સાથે આ વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.

ચાંદીપુરા વાયરસના કેટલા કેસ અને કેટલા થયા મોત?

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 31 કેસ નોંધાયા છે, જેમાંથી 19 બાળકોના મોત થયા છે. આ કેસો હવે શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે.

ચાંદીપુરા વાયરસના કેસ ક્યાં નોંધાયા છે?

  • સાબરકાંઠા: 4
  • અરવલ્લી: 4
  • મહિસાગર: 1
  • ખેડા: 1
  • મહેસાણા: 2
  • રાજકોટ: 5
  • સુરેન્દ્રનગર: 1
  • અમદાવાદ: 2
  • ગાંધીનગર: 1
  • પંચમહાલ: 4
  • જામનગર: 2
  • મોરબી: 3

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે વરસાદની સિઝનમાં ફેલાય છે. આ RNA વાયરસ છે, જે માખી અને મચ્છરના કરડવાથી ફેલાય છે. 14 વર્ષ સુધીના બાળકોમાં આ વાયરસ વધુ ફેલાય છે, જેનાથી મોતની સંભાવના વધી જાય છે.

લક્ષણો અને ખતરનાક અસર

ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓને જોરદાર તાવ, ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવે છે. આ વાયરસ મગજ પર સીધો પ્રભાવ કરે છે અને તેનું મૃત્યુદર 75 ટકા છે.

બચાવના ઉપાયો

  • ઘરમાં તિરાડો પુરી દેવી
  • માખીના ઉપદ્રવને રોકવા
  • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવાં
  • મચ્છરદાનીનો ઉપયોગ કરવો
  • મેલેથિન પાવડરનો છંટકાવ

આ આરોગ્ય વિભાગના પગલાં અને દરેકના સહકારથી આ મહામારી સામે લડી શકાશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News