Mukhya Mantri Matrushakti Yojana: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી સગર્ભા માતાઓને 1000 દિવસ સુધી મળશે પોષણયુક્ત રાશન - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

Mukhya Mantri Matrushakti Yojana: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી સગર્ભા માતાઓને 1000 દિવસ સુધી મળશે પોષણયુક્ત રાશન

Mukhya Mantri Matrushakti Yojana: 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' અંતર્ગત, ગુજરાતમાં સગર્ભા માતાઓને 1000 દિવસ સુધી પોષણયુક્ત રાશન મળી રહેશે, જે માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવશે અને માતા-બાળમૃત્યુદર ઘટાડશે.

Author image Gujjutak

Mukhya Mantri Matrushakti Yojana: ગુજરાત સરકારે સગર્ભા અને પ્રસૂતા માતાઓ માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ, ગર્ભધારણ કરનાર પ્રથમવારની માતાઓને 1000 દિવસ સુધી રાશન આપવામાં આવશે. આ યોજનાનો હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેનાથી માતા અને બાળમૃત્યુદર ઘટે.

મહિલા ગર્ભ ધરાવતી તે 270 દિવસ અને બાળકના જન્મ બાદના 730 દિવસ સુધી માતા અને બાળકને પોષણયુક્ત આહાર આપવા સરકારનું આયોજન છે. આ સમયગાળાને 'ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી' કહેવામાં આવે છે, જેમાં માતા અને બાળકનું પોષણ ખૂબ જ મહત્વનું હોય છે.

Mukhya Mantri Matrushakti Yojana: આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?

આ યોજનામાં નોંધાયેલા સગર્ભા માતાઓને દર મહિને આંગણવાડી કેન્દ્ર દ્વારા રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરાયું છે. આ આહાર માતાના પોષણ સ્તરને વધારશે અને ઓછા વજનવાળા બાળકોના જન્મને અટકાવશે.

આ યોજનાથી શું લાભ થશે?

  • માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો
  • ઓછા વજનના બાળકોના જન્મમાં ઘટાડો
  • માતા અને બાળમૃત્યુદરમાં ઘટાડો

આ યોજના સાથે આદિજાતિ વિસ્તારોમાં 'પોષણ સુધા યોજના' poshan sudha yojana પણ અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા આદિવાસી વિસ્તારોની સગર્ભા મહિલાઓને પણ આવરી લેવામાં આવશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News