
જો તમે તમારા રૂપિયા કોઈ રિસ્ક વગર નફાકારક રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા હોય તો પોસ્ટ ઓફિસ ની અલગ અલગ બચત સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ પોસ્ટ ઓફિસ ની સ્કીમોમાં વ્યાજદર વધુ અને સાથે ટેક્સમાં પણ છૂટછાટ મળે છે. અને સાથે જ આ પોસ્ટ ઓફિસની આ બચત સ્કીમને ખૂબ જ સિક્યોર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કેટલીક પોસ્ટ ઓફિસ બચત સ્કીમ વિશે.
જો તમે તમારા રૂપિયા કોઈ રિસ્ક વગર નફાકારક રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા હોય તો પોસ્ટ ઓફિસ ની અલગ અલગ બચત સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ પોસ્ટ ઓફિસ ની સ્કીમોમાં વ્યાજદર વધુ અને સાથે ટેક્સમાં પણ છૂટછાટ મળે છે. અને સાથે જ આ પોસ્ટ ઓફિસની આ બચત સ્કીમને ખૂબ જ સિક્યોર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કેટલીક પોસ્ટ ઓફિસ બચત સ્કીમ વિશે.
પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ માં તમે તમારા રૂપિયા એક વર્ષથી લઈ પાંચ વર્ષ માટે રોકાણ કરી શકો છો. અહીં તમે જેટલા વર્ષ માટે આ સ્કીમ હેઠળ તમારા રૂપિયા ઇન્વેસ્ટ કરશો તેટલું જ તેના પર વધુ વ્યાજ મળે છે. જેમ કે પાંચ વર્ષ રોકાણ પર 7.5 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ ઇન્કમટેક્સ સેક્શન 80C હેઠળ ટેક્સ બચત નો લાભ આપે છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એ મહિલાઓ માટે એક અનોખી સ્કીમ છે જેમાં મહિલા 1000 રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે અને તેના પર 7.5 ટકા વ્યાજ દર મળે છે. આ યોજના નું લાભ લેવો હોય તો 31 માર્ચ 2025 સુધીમાં લઈ લેવો.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અથવા તો રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ પોસ્ટ ઓફિસની એક ખાસ સ્ટીમ છે. જેમાં તમે તમારા રૂપિયા પાંચ વર્ષ માટે ઇન્વેસ્ટ કરી તમારા ઇન્વેસ્ટ કરેલા રૂપિયા પર 7.7% વ્યાજ મળે છે. આ યોજના માં પણ ઇન્કમટેક્સ 80C હેઠળ ટેક્સમાં મળે છે. આ સ્કીમ હેઠળ વ્યાજનો દર ચક્રવૃદ્ધિ હોય છે. જે આખરે ઈન્વેસ્ટર માટે લાભદાય હોય છે.
60 વર્ષ કે તે ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે SCSS શ્રેષ્ઠ છે. આ યોજનામાં 8.2% વ્યાજ દર મળે છે અને તે ક્વાર્ટરવાર ચૂકવવામાં આવે છે. મહત્તમ 30 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના એ દીકરીઓ માટે ખાસ યોજના છે જેની અંદર 8.2% વ્યાજ દર મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે જે બાળકની ઉંમર 15 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય તે આ યોજના માટે એલિજેબલ છે. જ્યારે બાળક 21 વર્ષનું થાય છે ત્યારે આ સ્કીમ પરિપક્વ થાય છે. આ સ્કીમ હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
કિસાન વિકાસ પત્ર (KVP) માં 115 મહિનામાં તમારું રોકાણ ડબલ થઈ જાય છે અને 7. આ સ્કીમ હેઠળ 7.5 ટકા નું વ્યાજદર મળે છે. 1000 રૂપિયા થી રોકાણ શરૂ કરી શકો છો.
અહીં અમારા દ્વારા જણાવેલ તમામ પોસ્ટ ઓફિસની સ્કીમો જે સુરક્ષિત અને નફાકારક છે, જે તમારા નાણાને સલામત અને હાઈ રીટર્ન આપે છે.
ખાસ નોંધ: અહીં અમે આલેખ આપ્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય માહિતી આપવાનો છે નહીં કે તમને કોઈ ફાઇનાન્સિયલ ટિપ્સ કે ઇન્વેસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું નથી અહીં ફક્ત સામાન્ય માહિતી જેવી કે કેટલા રૂપિયા ની સાથે કેટલા વર્ષનું રોકાણ કરો તો કેટલા ટકા વ્યાજ દર મળે છતાં તમે આઈસ્ક્રીમ હેઠળ તમારા રૂપિયાનું રોકાણ કરો છો તો તે તમારી અંગત જવાબદારી રહેશે.
આલેખને 13/01/2025 ના રોજ અપડેટ કરવામાં આવેલ છે આ માહિતીમાં આપવામાં આવેલ છે તેમાં વ્યાજ દર વગેરેમાં વધારો ઘટાડો થાય તો તેના માટે પોસ્ટ ઓફિસની ઓફિસિયલ વેબસાઈટ એકવાર અચૂકથી જોઈ લેવી.