25 એપ્રિલ સુધી ધોરણ 1 થી 9ની એક્ઝામ, વેકેશન પ્લાન બગડતાં વાલી-શિક્ષકોમાં રોષ! - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

25 એપ્રિલ સુધી ધોરણ 1 થી 9ની એક્ઝામ, વેકેશન પ્લાન બગડતાં વાલી-શિક્ષકોમાં રોષ!

ગાંધીનગર, 06 માર્ચ 2025: આ વર્ષથી રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ની વાર્ષિક પરીક્ષાઓ 25 એપ્રિલ સુધી ખેંચાશે તેવા નિર્ણયે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના વેકેશન પ્લાન પર પાણી ફેરવી દીધું છે.

Author image Aakriti

ગાંધીનગર, 06 માર્ચ 2025: આ વર્ષથી રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ની વાર્ષિક પરીક્ષાઓ 25 એપ્રિલ સુધી ખેંચાશે તેવા નિર્ણયે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના વેકેશન પ્લાન પર પાણી ફેરવી દીધું છે. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT) દ્વારા લેવાયેલા આ નવા નિર્ણયનો પ્રિન્સિપાલ અને શિક્ષક સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે, જ્યારે વાલીઓમાં પણ ભારે નારાજગી ફેલાઈ છે.

અગાઉ એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં પરીક્ષાઓ પૂરી થઈ જતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને પરિવારો બહારગામ ફરવાનું પ્લાનિંગ કરી શકતા હતા. પરંતુ હવે SCERTએ નવું ટાઈમટેબલ જાહેર કર્યું છે, જે મુજબ 8 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ધોરણ 1થી 9ની વાર્ષિક પરીક્ષાઓ અને સંકલિત મૂલ્યાંકન ટેસ્ટ લેવાશે. આમાં પ્રથમ ભાષા, વિજ્ઞાન-ગણિત, અંગ્રેજી અને સામાજિક શાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થશે. રાજ્યનું શૈક્ષણિક વર્ષ 30 એપ્રિલ સુધી ચાલે છે, અને આ નવા શિડ્યૂલથી રજાઓનું આયોજન ખોરવાઈ જશે.

SCERTનું કહેવું છે કે, અગાઉ 14 એપ્રિલ પછી શાળાઓ ખાલી રહેતી હતી અને 30 એપ્રિલ સુધીનો સમય બિનઉપયોગી જતો હતો. આને સુધારવા માટે આ વર્ષથી નવું આયોજન કરાયું છે. જોકે, આ નિર્ણયથી શિક્ષકો અને પ્રિન્સિપાલ્સ ખુશ નથી. એક શિક્ષક સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું, “આનાથી શિક્ષકોની રજાઓ પર અસર થશે અને કોર્સ પૂરો કરવાનું દબાણ પણ વધશે.”

વાલીઓ પણ ગુસ્સે છે. એક વાલીએ કહ્યું, “અમે બાળકો સાથે બહારગામ જવાનું પ્લાન કર્યું હતું, પણ હવે બધું બગડી ગયું.” આ નિર્ણય સામે વિરોધ વધતો જાય છે, પરંતુ SCERTએ હજુ સુધી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. શું આ નિર્ણય પાછો ખેંચાશે, કે વિદ્યાર્થીઓનું વેકેશન ખરેખર બગડશે? આગળ શું થશે તે જોવું રહ્યું.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News