EPFOના ખાતાધારકો માટે સારા સમાચાર: પીએફના વ્યાજ દરમાં વધારો થવાની શક્યતા! - Gujjutak
◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા ◉ Jio Hotstar Record: મુકેશ અંબાણીના JioHotstarએ બનાવ્યો નવો રેકોર્ડ

EPFOના ખાતાધારકો માટે સારા સમાચાર: પીએફના વ્યાજ દરમાં વધારો થવાની શક્યતા!

EPFO Meeting: નોકરીયાત વર્ગ માટે એક વધુ ખુશખબરી આવી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે EPFOના વ્યાજદરને વધારવાનો મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં લેવામાં આવી શકે છે.

Author image Gujjutak

EPFO Meeting: નોકરીયાત વર્ગ માટે એક વધુ ખુશખબરી આવી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે EPFOના વ્યાજદરને વધારવાનો મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં લેવામાં આવી શકે છે.

EPFO Interest Rate May Increase

EPFO Interest Rate May Increase: સુસ્ત ભારતીય અર્થતંત્રમાં નવેસરથી તેજી લાવવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. બજેટ 2024 બાદ મધ્યમ વર્ગ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાં લોકોના હાથે વધુ રોકડ આપીને બજારની માંગમાં વૃદ્ધિ લાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યા છે. જો EPFOના વ્યાજદર વધે, તો તે કરોડો નોકરીયાત વર્ગ માટે મોટો લાભ સાબિત થશે.

પીએફના વ્યાજ દરમાં વધારો સંભવિત

આર્થિક નિષ્ણાતો અનુસાર, સરકારના હાલના ધોરણોને જોતા, EPFOના વ્યાજદરમાં થોડો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને, 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટછાટ આપવામાં આવ્યા બાદ, હવે EPFO પરના વ્યાજ દરમાં વધારો કરીને રોકાણકર્તાઓને વધુ લાભ આપવાનો પ્રયાસ થઈ શકે.

છેલ્લા બે વર્ષમાં થઈ ચૂક્યો છે વ્યાજદરમાં આટલો વધારો

  • વર્ષ 2022-23માં EPFOનો વ્યાજ દર 8.15% સુધી વધારો કરાયો હતો.
  • વર્ષ 2023-24માં તેને વધારીને 8.25% કરવામાં આવ્યો.
  • હાલની પરિસ્થિતિને જોતા, 2024-25 માટે પણ વ્યાજ દરમાં વધારો થવાની શક્યતા છે.

7 કરોડથી વધુ ખાતાધારકો ને ફાયદો

EPFO પાસે 7 કરોડથી વધુ પીએફ ખાતાધારકો છે. 2023-24ના આંકડા મુજબ, EPFOના પેન્શન ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા લગભગ 8 લાખ સુધી પહોંચી ગઈ છે. જો વ્યાજ દરમાં વધારો થાય, તો તે લાખો નોકરીયાત લોકો માટે મોટા ફાયદાની વાત સાબિત થશે.

DISCLAIMER: આ આર્ટિકલ ફક્ત ન્યૂઝ આધારિત માહિતી માટે છે. બજારમાં રોકાણ કે કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. Gujjutak.com કોઈપણ નાણાકીય નુકસાન માટે જવાબદાર નહીં રહે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News