એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો

gujarat ST nigam DA hike: ગુજરાત રાજ્ય સરકારે એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

Author image Aakriti

ગુજરાત રાજ્ય સરકારે એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

એરિયર્સની ચુકવણી પણ થશે

મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારા સાથે, એરિયર્સના રૂપે પેન્ડિંગ રકમ ચૂકવવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે આ પગલાથી કુલ રૂ. 125 કરોડથી વધુનો ખર્ચ કરવા તૈયારી બતાવી છે, જેનો સીધો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. આ સંદર્ભે મંત્રી હર્ષ સંઘવીએ X (ટ્વિટર) પર જાણકારી આપી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં આ અંગે વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવશે.

કર્મચારીઓમાં ખુશીનો માહોલ

આ જાહેરાત બાદ એસ.ટી. નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોંઘવારી ભથ્થા કયા મહિના થી લાગુ થશે તે અંગે ચોક્કસ માહિતી હજી નથી મળી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે.

આ નિર્ણયની અસરથી રાજ્યના એસ.ટી. નિગમ ના કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારવા મદદ મળશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News