GPSC Exam Update: ઓપરેશન સિંદૂર વચ્ચે પણ યોજાશે GPSC વર્ગ 2ની પરીક્ષા, ઉમેદવારો માટે અગત્યની સૂચનો - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

GPSC Exam Update: ઓપરેશન સિંદૂર વચ્ચે પણ યોજાશે GPSC વર્ગ 2ની પરીક્ષા, ઉમેદવારો માટે અગત્યની સૂચનો

ભારત-પાકિસ્તાન તણાવના લીધે રાજ્યમાં હાઇ એલર્ટ હોવા છતાં GPSC પરીક્ષા યથાવત રહેશે. GPSC ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું છે કે 11 મે 2025ના રોજ યોજાનાર વર્ગ 2 માટેની પરીક્ષા રદ્દ કરાઈ નથી.

GPSC Exam Update: ઓપરેશન સિંદૂર વચ્ચે પણ યોજાશે GPSC વર્ગ 2ની પરીક્ષા, ઉમેદવારો માટે અગત્યના સૂચનો
Author image Aakriti

GPSC પરીક્ષા રદ્દ નહિ થાય, જાહેર સુરક્ષાની વચ્ચે પણ યથાવત રહેશે

હાલમાં દેશભરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતા ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ઘણા ઉમેદવારો GPSC પરીક્ષા અંગે મૂંઝવણમાં મુકાયેલા હતા કે પરીક્ષા લેવાશે કે રદ કરવામાં આવશે. પરંતુ GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે કે આવતીકાલે એટલે કે 11 મે 2025, રવિવારના રોજ યોજાનાર મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ-2 ની પરીક્ષા યથાવત રહેશે.

GPSC દ્વારા આ માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર જાહેર કરી છે. હસમુખ પટેલે જણાવ્યું કે પરીક્ષા પહેલા અને પછી તમામ સુરક્ષા પગલાં લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા પછી, ઉમેદવારોને હાજરી સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બહાર જવા દેવામાં આવશે.

તંત્ર દ્વારા પરીક્ષા માટે રાજ્યના 405 કેન્દ્રો પર વ્યવસ્થાઓ સંપૂર્ણ થઈ ગઈ છે. GPSCના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે પરીક્ષા અંગે કોઈપણ નવી સૂચના આવશે તો તે વેબસાઇટ પર મૂકવામાં આવશે. એટલે કે દરેક ઉમેદવાર માટે જરૂરી છે કે તેઓ GPSCની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર સતત નજર રાખે.

જિલ્લા સ્તરે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા દરમિયાન કોઇ અશાંતિ ન સર્જાય તેની સંપૂર્ણ ખાતરી રાખે. તેથી ઉમેદવારોએ ભય વિના પરીક્ષામાં ભાગ લેવા જઈ શકે છે. પરીક્ષા રદ્દ થશે કે નહીં એ અંગેની અફવાઓથી દૂર રહેવું જરૂરી છે. GPSCનો આ નિર્ણય દર્શાવે છે કે સરકાર દ્વારા અભ્યાસ માટે ગંભીરતા અપાઈ રહી છે અને દરેક ઉમેદવારના હિત માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News