ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

ગુજરાત સરકારે ખેતીની જમીન વેચાણને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો: ખેડૂતોને મળી મોટી રાહત

Agriculture News: ગુજરાત સરકારના નવા નિર્ણય અનુસાર, ખેતીની જમીન વેચાણ માટે 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને માન્ય ગણવામાં આવશે, જેનાથી ખેડૂતોને મોટી રાહત મળશે.

Author image Gujjutak

Agriculture News: ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. હવે 6 એપ્રિલ 1995 પછીના જમીન રેકોર્ડને જ ખેડૂત ખરાઈ માટે માન્ય ગણવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શક પ્રક્રિયાને વેગ આપીને આ પરિવર્તન કર્યો છે, જેથી ખેડૂતો માટે જમીન વેચાણની પ્રક્રિયા વધુ સરળ બને.

આ પહેલાં, જમીન વેચાણ માટે 1951-52ના રેકોર્ડના આધારે ખેડૂત હોવાનો પુરાવો જરૂરી હતો. આ કારણે ઘણા ખેડૂતોને જુના રેકોર્ડ ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે, 1995 પછીના રેકોર્ડને આધારે જ ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ખેડૂત હોવાનો પુરાવો રજૂ કરવો પડશે નહીં, પરંતુ જમીન વેચનાર ખાતેદારે ખેડૂત હોવાનો સોગંદનામું રજૂ કરવું પડશે. આ બદલાવથી જમીન વેચાણ પ્રક્રિયા ઝડપથી અને સરળ બની છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયા છે, જે ખેડૂતો માટે મોટો રાહતભર્યો નિર્ણય સાબિત થશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News