ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તજજ્ઞ તબીબોના પગારમાં 35,000 નો વધારો - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તજજ્ઞ તબીબોના પગારમાં 35,000 નો વધારો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગારમાં 35,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Author image Aakriti

ગુજરાત રાજ્યમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગારમાં વધારો કરાયો છે. આ નિર્ણયના ભાગરૂપે, તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની પરવાનગી ન હોવા છતાં તેમના માસિક વેતનમાં રૂ. 95,000 થી વધારીને હવે રૂ. 1,30,000 કરવામાં આવ્યું છે.

આનો અર્થ એ છે કે તબીબોના પગારમાં લગભગ 37% નો વધારો થયો છે. ખાસ કરીને સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને તેમના માસિક વેતન ઉપરાંત, મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. 300 થી 2000 સુધીની પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે.

એનેસ્થેટીસ્ટ તબીબોને પણ આમાં ફાયદો થયો છે, કારણ કે તેમને પ્રોત્સાહક રકમના 50 ટકા આપવામાં આવશે. અન્ય તજજ્ઞ તબીબોને PMJAYના ધારા-ધોરણો મુજબ ઇન્સ્ટેન્ટિવ મળી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજી, અને ઇ.એન.ટી. જેવા તજજ્ઞ તબીબોને તેમની વિવિધ મેજર અને માઇનોર સર્જરી માટે અલગ-અલગ રકમ ચૂકવવામાં આવશે, જે મહત્ત્વપૂર્ણ અને લાભદાયી માનવામાં આવે છે.

આ નિર્ણયથી રાજ્યની આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાના સ્તરને સુધારવામાં મદદ મળશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News