Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

Old Pension Scheme: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2005 પહેલા નિયુક્ત થયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme - OPS) નો લાભ મળશે.

Author image Gujjutak

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2005 પહેલા નિયુક્ત થયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme - OPS) નો લાભ મળશે. આ નિર્ણય રાજ્યના મંત્રી મંડળ દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને લેવાયો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, સરકારના લાખો કર્મચારીઓની વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિત માટે છે.

કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માગ

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ, 2005 પહેલા ફિક્સ પગારમાં નિયુક્ત કરાયેલા કર્મચારીઓની નિમણૂંક વખતે તેમને કાયદાકીય રીતે પેન્શન લાભો નહીં મળે તેવું લખાણ હતું. તેમ છતાં, રાજ્ય સરકાર આ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના અમલમાં લાવવાનું નક્કી કર્યું છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓની સમસ્યાઓના નિકાલ માટે મંત્રી મંડળના સભ્યોની એક ખાસ સમિતિ બનાવવાની સૂચના આપી હતી. આ સમિતિમાં મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સામેલ હતા. તેમણે કર્મચારી મંડળોના પ્રતિનિધિઓ સાથે અનેક બેઠક યોજીને આ સુઝાવ તૈયાર કર્યા.

કર્મચારીઓને વિકલ્પ મળશે

આ નિર્ણય મુજબ, 1 એપ્રિલ, 2005 પહેલાં ફિક્સ પગારમાં નોકરી શરૂ કરેલા અને તેમનું નિયમિતીકરણ તે તારીખ બાદ થયેલા તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના અપનાવવા માટે વિકલ્પ મેળવી શકશે. લગભગ 60,254 કર્મચારીઓએ આ અંગે અરજી કરી હતી, જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે.

અન્ય નિર્ણયો

આ ઉપરાંત, કર્મચારી મંડળો દ્વારા અન્ય અનેક મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી, જેમ કે ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ, ચાર્જ એલાઉન્સમાં વધારો, અને સાતમાં પગાર પંચ મુજબ દૈનિક ભથ્થાની દર સુધારણીઓ. આ તમામ રજૂઆતોને રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે.

આર્થિક ભારણ

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયો ઉપરાંત, રાજ્ય સરકાર પર આ નિર્ણયોના કારણે આશરે 200 કરોડ રૂપિયા વાર્ષિકનું આર્થિક ભારણ પડશે.

ગુજરાત સરકારે રાજ્યના 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ સાથે, અન્ય અનેક ભથ્થા અને લાભોને પણ મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજ્યના સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News