હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લીધા છૂટાછેડા: બન્નેએ સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લીધા છૂટાછેડા: બન્નેએ સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ

Hardik Pandya Natasa Stankovic Divorce: ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.

Hardik Pandya Natasa Stankovic Divorce
Author image Aakriti

ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ હાર્દિક પંડ્યા એ સોશિયલ મીડિયા ના માધ્યમથી કરી છે.

ઘણા સમયથી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ના સંબંધોને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી હતી. અને બંનેના સંબંધોમાં કિરણ આવી હોય તેવું પણ લાગી રહ્યું હતું. તેવામાં નતાશા સ્ટેનકોવિક એ પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી. બહુચરચીત અંબાણીના લગ્નમાં પણ હાર્દિક પંડ્યા એકલા જ જોવા મળ્યા હતા. તેવામાં આજે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અડકડો પર પૂર્ણવિરામ લાગ્યો છે. આજે હાર્દિક હાર્દિક સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ નિર્ણય અમારા બંને માટે મુશ્કેલ હતો.

હાર્દિક પંડ્યાએ ડિવોર્સને લઈ કરી પોસ્ટ

હાર્દિક પંડ્યા એ આજે instagram પર પોસ્ટ કરતા જણાવ્યું કે હું અને નતાશા બંને ચાર વર્ષ સાથે રહ્યા પછી હવે બંનેની સર્વ સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યા એ વધુમાં લખ્યું કે અમે બંને આ સંબંધો ટકાવી રાખવા માટે બનતા પ્રયત્નો કર્યા પરંતુ હવે અમને બંનેની લાગે છે કે અલગ થવું એ જ અમારા માટે યોગ્ય નિર્ણય છે.

તલાક પછી નતાશા પોતાના દેશ સર્બિયા પરત ફરી

જો તમે ન જાણતા હોય તો અમે તમને અહીં જણાવી દઈએ કે નતાશા એ મૂળ સર્બિયાની રહેવાસી છે. છૂટાછેડા ના નિર્ણય પહેલા જ નતાશા પોતાના માતા પિતા ના ઘરે સર્બિયા ચાલી ગઈ હતી. નતા સાહેબ આ અંગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. ત્યાર પછી નતાશા મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળી હતી. નતાશા ની સાથે તેમનો પુત્ર અગસ્ત્ય પણ સર્બિયા ગયો છે.

ચાર વર્ષ પહેલા થયા હતા લગ્ન

હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે કોરોના લોક ડાઉન 2020 માં બન્ને કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020માં પુત્ર અગસ્ત્ય નો જન્મ થયો. પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2023માં હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે ફરીથી હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજથી લગ્ન કર્યા હતા.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News