રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ અંગે મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ સંબંધિત મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જારી કરીને તાલીમના નિયમો જાહેર કર્યા છે.

Author image Aakriti

સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કલાસ 1 અને 2ના અધિકારીઓ, જેઓ સીધી ભરતી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, તેમને એસપીઆઈપીએ (SPIPA) ખાતે તાલીમ લેવી પડશે. આ તાલીમમાં અધિકારીઓને બે અઠવાડિયા માટે તાલીમ આપવામાં આવશે, જેમાંથી દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 થી 5 દિવસના resident trainingમાં ભાગ લેવાનો રહેશે.

ક્લાસ 3 અને 4ના કર્મચારીઓ માટે પણ દર વર્ષે તાલીમ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાલીમ માટે હાજર રહેતા અધિકારીઓ અને કર્મચારીઓના સેવાપોથીમાં તાલીમનો રેકોર્ડ કરવામાં આવશે અને પ્રમોશનના સમયે 2 ગુણોનું મૂલ્ય આપવામાં આવશે.

આ નિર્ણયથી રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર