
અમદાવાદ: રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વારંવાર વિવાદો ઉઠતા હોય છે, ત્યારે ઉર્જા વિભાગ દ્વારા વિધાનસભામાં મહત્વની સ્પષ્ટતા આપવામાં આવી છે. વિજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર સંબંધિત નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્ન પર, રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ આપ્યો અને સ્પષ્ટતા કરી કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કાર્યપ્રણાળી સમાન છે. પરંતુ, સ્માર્ટ મીટર એ ગ્રાહકોને વિજ વપરાશની માહિતી મોબાઇલ પર સરળતાથી ઉપલબ્ધ કરાવશે.
હાલના મેન્યુઅલ મીટરના પરિમાણો પર આધાર રાખવાને બદલે, સ્માર્ટ મીટર આપોઆપ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીને ટ્રાન્સમિટ કરે છે. સાથે જ, સ્માર્ટ મીટરની એપ્લિકેશન દ્વારા વિજ ગ્રાહકને તેમના વીજ વપરાશ વિશેની માહિતી રીયલ-ટાઇમમાં મળશે.
સ્માર્ટ મીટરમાં એડવાન્સ મીટરીંગ સિસ્ટમ છે, જે ગ્રાહક અને વિતરણ કંપની વચ્ચે કોમ્યુનિકેશન સુવિધા પૂરી પાડે છે. આથી, વીજ કંપની આલ્ધી વિસ્તારની વીજ માંગને સમજવામાં સક્ષમ બનશે અને વિજ પુરવઠાનું આયોજન સરળતાથી કરી શકશે.