કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે સસ્પેન્સ - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે સસ્પેન્સ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલા રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. આજે તેમણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે સાંજે મુલાકાતનો સમય નક્કી કર્યો છે.

Author image Gujjutak

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલા રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. આજે તેમણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે સાંજે મુલાકાતનો સમય નક્કી કર્યો છે. સંભાવના છે કે આ મુલાકાત દરમિયાન કેજરીવાલ તેમનું રાજીનામું આપશે.

સોમવારે કેજરીવાલે પોતાના સીએમ આવાસમાં બેઠકો કરી હતી, જ્યાં તેમણે આમ આદમી પાર્ટીના મંત્રીઓ અને આગેવાનો સાથે વન-ટુ-વન ચર્ચા કરી. આ ચર્ચા પછી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે કેજરીવાલ મંગળવારે રાજીનામું આપશે.

દિલ્હીના નવા સીએમ કોણ હશે તે અંગે રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે પક્ષની બેઠક બપોરે યોજાશે, જેમાં નવા સીએમના નામ પર નિર્ણય લેવામાં આવી શકે છે. કૈલાસ ગેહલોત, ગોપાલ રાય અને આતિશી જેવા નામો ચર્ચામાં છે, પરંતુ હજી સુધી કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી.

આ ઘટનાની શરૂઆત કેજરીવાલના ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક જાહેરાતથી થઈ હતી, જેમાં તેમણે પોતાની છબી માટે વિધાનસભા દ્વારા પસંદગીની માંગણી કરી હતી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News