મહારાષ્ટ્રમાં ભાજપે 40 બળવાખોર નેતાઓને હાકલ્યા, વિધાનસભા ચૂંટણી પહેલા મોટો આદેશ - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

મહારાષ્ટ્રમાં ભાજપે 40 બળવાખોર નેતાઓને હાકલ્યા, વિધાનસભા ચૂંટણી પહેલા મોટો આદેશ

Maharashtra BJP Expel 40 Rebel Leader : મહારાષ્ટ્રમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કડક પગલાં લેતા 40 બળવાખોર નેતાઓની હકાલપટ્ટી કરી છે.

Author image Aakriti

મહારાષ્ટ્રમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કડક પગલાં લેતા 40 બળવાખોર નેતાઓની હકાલપટ્ટી કરી છે. આ નિર્ણય પાર્ટી દ્વારા શિસ્તભંગના આરોપો હેઠળ લેવામાં આવ્યો છે, કારણ કે આ નેતાઓ 37 વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટી માટે પડકારરૂપ બન્યા હતા. મહાયુતિએ પોતાના મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે.


ભાજપ માટે મોટો પડકાર

ભાજપ માટે આ બળવાખોરો કેટલીક બેઠકો પર જીતની દિશામાં મોટી અડચણ બની રહ્યા છે. ટિકિટ ન મળવાના કારણે કેટલાક નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે, જેમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ છે. નંદુરબારમાંથી હીના ગાવિત અને જલગાંવથી એ.ટી. પાટીલ પોત-પોતાના વિસ્તારોમાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. હીના ગાવિત, જે 2014 અને 2019માં નંદુરબારની સાંસદ રહી ચુકી છે, 2024માં કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા બાદ ધારાસભ્ય બનવા ઇચ્છુક હતા. ટિકિટ ન મળતાં તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે નામांकन દાખલ કર્યું.

પાટીલનું નૉમિનેશન પરત

એ.ટી. પાટીલ, જલગાંવ બેઠક પરથી ટિકિટની આશા રાખતા હતા, પણ પાર્ટી દ્વારા અન્યને ટિકિટ મળતાં તે નારાજ થઇ ગયા. તાજેતરમાં, ભાજપના બળવાખોરો મહારાષ્ટ્રમાં 30 જેટલી બેઠકો પર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News