ક્ષત્રિય આંદોલન કોંગ્રેસને કેટલું ફળ્યું? રૂપાલાની ભૂલ ભાજપને ભારે પડી - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

ક્ષત્રિય આંદોલન કોંગ્રેસને કેટલું ફળ્યું? રૂપાલાની ભૂલ ભાજપને ભારે પડી

ABP Cvoter Exit Poll Result for Gujarat Lok Sabha Election 2024: દેશભરમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં સાથે જ અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ રહ્યા છે.

Author image Aakriti

ABP Cvoter Exit Poll Result for Gujarat Lok Sabha Election 2024: દેશભરમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં સાથે જ અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) શાનદાર પ્રદર્શન કરી શકે છે, પણ 400 સીટોનું સપનું તૂટી શકે છે. ગુજરાતની વાત કરીએ તો, BJPનું ગઢ ગણાતા ગુજરાતમાં શું પરિણામ આવશે તે પણ રસપ્રદ છે. ABP ન્યૂઝે સી વોટર (ABP Cvoter Exit Poll Result) સર્વે કર્યો છે જે નોંધપાત્ર છે.

ગુજરાતમાં BJPને 25-26 સીટો!

ABP ન્યૂઝ માટે સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, ગુજરાતમાં BJPને 62% વોટ શેર મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 35% વોટ શેર મળતો જોવા મળી રહ્યો છે. સીટોની દ્રષ્ટિએ BJPને 25-26 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 0-1 સીટ મળી શકે છે. Congressને 0-1 સીટ મળવાની શક્યતા છે.

ક્ષત્રિય આંદોલન Congressને ફાયદો અપાવી શકે છે?

આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન Congressને ફાયદો અપાવી શકે છે. BJPના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ BJPની વિરોધમાં આવ્યો હતો. માફી માંગ્યા પછી પણ, આ સમુદાયે તેમના ટિકિટ પરત ખેંચવાની માગણી કરી હતી, જે ન માનાતા, તેઓ BJP વિરોધી થઈ ગયા હતા.

BJP નેતાઓએ માનવવાના પ્રયાસો કર્યા

BJP સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓએ સમાજના આગેવાનોને મનાવવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ સફળ થયા ન હતા. ગુજરાતના ગામડાઓમાં 'BJPના નેતાએ પ્રચાર કરવા નહીં આવવું' એવા પોસ્ટરો લાગ્યા હતા અને BJPની રેલીઓમાં વિરોધ પ્રદર્શિત થયો હતો.

પરેશ ધાનાણીની જીતની સંભાવના

Congressએ પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યો. ક્ષત્રિયોના BJP વિરોધી મતદાનના નિર્ણય અને ABP ન્યૂઝના સર્વેમાં Congressને એક સીટ મળવાની શક્યતા હોવાથી, પરેશ ધાનાણીની જીતની શક્યતા વધી ગઈ છે. આ જ આંકડા દર્શાવે છે કે, 4 જૂનના રોજ મતગણતરીમાં શું સ્પષ્ટ થશે.

ગુજરાતમાં BJPના પ્રદર્શન પર ટકી નજર

ગુજરાતમાં BJPએ 2014 અને 2019ની જેમ 26માંથી 26 સીટો મેળવે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.

4 જૂનના રોજ મતગણતરી પછી જ ચોક્કસ થશે કે કોણ જીતશે અને ગુજરાતની જનતા કોને પસંદ કરશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News