સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે

આરોગ્ય કર્મચારી હડતાલ: રાજ્યના પંચાયત આરોગ્ય કર્મચારીઓ એક દિવસની માસ CL (કેજ્યુઅલ લિવ) રાખી હોવા છતાં, તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નહીં. જેથી આગામી 17મી માર્ચથી હડતાલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Author image Aakriti

રાજકોટ, 15-03-2025: આ હડતાલમાં રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાશે, જેનાથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં.

શું છે હડતાલના મુખ્ય મુદ્દાઓ?

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અશોકભાઈ જોશીએ જણાવ્યું કે, કર્મચારીઓની મુખ્ય માંગણીમાં પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા શરૂ કરવી, ગ્રેડ-પે સંબંધિત પ્રશ્નોનો નો વહેલી તકે ઉકેલ લાવવો, સ્ટાફ નર્સ ટ્રેડરની વિવિધ મુશ્કેલીઓનું નિરાકરણ લાવવું.

આ મુદ્દાઓને લઈ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા હવે 17મી માર્ચ સોમવારથી રાજ્યવ્યાપી હડતાલ શરૂ થશે.

રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે

આ હડતાલમાં રાજકોટના તમામ આરોગ્ય કર્મચારીઓ જેમાં લેબ ટેક્નિશિયન, સુપરવાઇઝર અને સ્ટાફ નર્સ પણ જોડાશે.

રાજ્ય સરકારને 17મી માર્ચથી અનિશ્ચિત સમયગાળા માટે ની હડતાલનું એલાન અગાઉ જ આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ પણ આવેદનપત્ર આપી દેવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પર પડશે મોટી અસર

આ હડતાલના કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે, જેનાથી ગરીબ અને અંતિમ વર્ગના દર્દીઓને તકલીફ પડી શકે છે. જો સરકાર દ્વારા વહેલી તકે કોઈ સમાધાન કરવામાં નહીં આવે, તો આ હડતાલ લાંબી ચાલી શકે છે, જે આરોગ્ય વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

આગામી દિવસોમાં સરકાર અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં, તે જોવાનું રહેશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News