PM Kisan Mandhan Yojana: દર મહિને ₹3000 પેન્શન મેળવવા માટે કરો આ રીતે રજીસ્ટ્રેશન - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

PM Kisan Mandhan Yojana: દર મહિને ₹3000 પેન્શન મેળવવા માટે કરો આ રીતે રજીસ્ટ્રેશન

કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે PM Kisan Mandhan Yojana શરૂ કરવામાં આવી છે, આ યોજનામાં ખેડૂતોએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહે છે.

Author image Gujjutak

કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે PM Kisan Mandhan Yojana શરૂ કરવામાં આવી છે, આ યોજનામાં ખેડૂતોએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહે છે. જ્યારે ખેડૂત ની ઉંમર 60 વર્ષ થી વધુ થાય ત્યારે તેમને દર મહિને 3000 રૂપિયા પેન્શન પેટે મળે છે.

યોજનાની શરૂઆત

આ યોજના 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેના અંતર્ગત નાના ખેડૂતો અને મજૂરોને વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે.

કોણ ફાયદો ઉઠાવી શકે છે

આ યોજના ડ્રાઇવર, રિક્ષા ચાલક, મજૂર, દરજી, મોચી જેવા અન ઓર્ગેનાઈઝ ક્ષેત્રમાં કાર્યરત લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના હોય છે, તેની સાથે જ તેટલા જ રૂપિયા સરકાર પણ અમારા ખાતામાં જમા કરે છે. 60 વર્ષ પછી દર મહિને ₹3000 પેન્શન મળતું રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • બેન્ક ખાતા પાસબુક
  • પત્ર વ્યવહારનું સરનામું
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પાત્રતા

  • માસિક આવક ₹15,000થી ઓછી હોવી જોઈએ.
  • ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • EPFO, NPS, અથવા ESIC હેઠળ આવરી લેવાયેલા ન હોવા જોઈએ.
  • અરજદાર આવકવેરા દાતા ન હોવો જોઈએ.

કેવી રીતે અરજી કરવી

PM Kisan Mandhan Yojana માટે maandhan.in વેબસાઇટ પર જઈને Self Enrollment પર ક્લિક કરો, અને મોબાઇલ OTP દ્વારા રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. પછી ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહિતી ભરીને અરજી સબમીટ કરાવો.

નોટ

લાભાર્થીના મૃત્યુ પર, તેની પત્ની આ યોજના ચાલુ રાખી શકે છે, અથવા પૈસા વ્યાજ સાથે પરત કરી શકાય છે.

ગુજરાતમાં ખેડૂતો માટે આ યોજના જીવનવૃત્તિ માટે સારો વિકલ્પ છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપી શકે છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News