રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે હેડ ક્વાર્ટરના 10માં માળેથી કૂદકો મારી જીવ ટૂંકાવ્યો, કારણ શું? - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે હેડ ક્વાર્ટરના 10માં માળેથી કૂદકો મારી જીવ ટૂંકાવ્યો, કારણ શું?

રાજકોટમાં માવરી પોલીસ હેડક્વાર્ટરના 10મા માળેથી એક પોલીસ કોન્સ્ટેબલે કૂદીને આત્મહત્યા કરી હોવાની કરુણ ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Author image Aakriti

કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગર જેની ઉમર 23 વર્ષની હતી તે રાજકોટ માવરી પોલીસ હેડક્વાર્ટરના 10મા માળેથી કૂદી જીવ ટુકાવ્યો હતો, જેના કારણે સ્થળ પર ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઈન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હાલમાં અધિકારીઓ આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે.

કરુણ રીતે જીવ ટુકાવનાર ભાર્ગવ બોરીસાગર તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો અને રાજકોટ ગ્રામ્ય પોલીસની રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો. લગભગ દોઢ મહિના પહેલા તેમની જેતપુરથી રાજકોટ બદલી થઈ હતી. ઘટનાના પાંચ મહિના પહેલા ભાર્ગવના લગ્ન પણ થયા હતા. તેણે આ પગલું ભરવા પાછળના કારણો હજુ તપાસ હેઠળ છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News