GPSC ના છબરડા : GPSCની પ્રામાણિકતાને લઈને પ્રશ્નો - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

GPSC ના છબરડા : GPSCની પ્રામાણિકતાને લઈને પ્રશ્નો

GPSC Prelims Exam: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), જે એક બંધારણીય સંસ્થા છે, તેની પ્રામાણિકતાને લઈને હાલ સવાલો ઊભા થયા છે.

Author image Aakriti

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC), જે એક બંધારણીય સંસ્થા છે, તેની પ્રામાણિકતાને લઈને હાલ સવાલો ઊભા થયા છે. આટલી મોટી બંધારણીય સંસ્થા દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે ઉમેદવારોમાં ભ્રમ સર્જાયો છે. GPSC દ્વારા આ વર્ષે લેવામાં આવેલા લગભગ 20 ભરતી પરીક્ષાઓમાં 280 સુધારા કરવાની જરૂર પડી છે, અને કેટલાક ભરતી પરીક્ષાઓના પરિણામો જાહેર થયા પછી હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

GPSCની પારદર્શકતા પર મોટો સવાલ

હાલમાં GPSC જાહેરાત નં. 47, જેણે 7 જાન્યુઆરી 2024ના રોજ પ્રિલિમ પરીક્ષા યોજી હતી, તેની અંતિમ ઉત્તર કુંજી થોડા દિવસો પહેલાં જ જાહેર કરવામાં આવી હતી. જેમાં નવ પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા હતા અને 22 જવાબોમાં સુધારા કરવામાં આવ્યા હતા. આ વર્ષમાં સૌથી મોટો ફેરફાર જાહેરાત નં. 42, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને મામલતદાર માટે લેવામાં આવેલ ભરતીમાં થયો હતો. આ ભરતીમાં આઠ પ્રશ્નો રદ્દ થયા અને 18 જવાબોમાં સુધારા થયા. હકીકતમાં, આ ભરતીમાં ઉમેદવારો હજી પણ ઉત્તર સુધારણા માટે અરજી કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે હજુ પાંચથી છ પ્રશ્નોમાં સુધારો થઈ શકે છે. હવે સવાલ એ છે કે આવા મોટા સુધારાઓ પછી પણ GPSC જેવી સંસ્થાને સુધારાની જરૂર પડે છે, તો તેની પારદર્શકતાને લઈને સવાલ ઊભા થવા સાવ સ્વાભાવિક છે.

107 પ્રશ્નો રદ્દ અને 280 સુધારા

આ માત્ર બે પરીક્ષાઓના ઉદાહરણો છે, પરંતુ વર્ષ 2021-22, વર્ષ 2022-23 અને વર્તમાન વર્ષની લગભગ 20 પ્રિલિમ પરીક્ષાઓમાં ઘણી બધી ભૂલોમાં સુધારા જોવા મળ્યા છે. જેના કારણે GPSCની પ્રક્રિયાઓ વિવાદમાં આવી છે. ઉમેદવારો સંસ્થાની ગંભીરતાને પ્રશ્ન કરે છે, અને વિવાદાસ્પદ ભરતીના વિરૂદ્ધ સામાજિક મીડિયા પ્લેટફોર્મથી લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. 20 પ્રિલિમ પરીક્ષાઓના મામલે, 107 પ્રશ્નો રદ્દ થયા છે અને 280 સુધારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુખ્ય પરીક્ષા પર પણ સવાલો ઉઠ્યા છે અને ઉમેદવારો એ મુદ્દાને હાઈકોર્ટ સુધી લઈ ગયા છે. GPSC અને ઉમેદવારો વચ્ચે પેપર ચેકિંગને લઈને વિવાદ જોવા મળ્યો છે.

સુધારા અને વધુ જવાબદારીની માંગ

એવું જોવા મળે છે કે GPSCમાં મહત્ત્વના સુધારા કરવાની જરૂર છે. ભરતી પરીક્ષાઓની સચોટતા અને ન્યાયપૂર્ણતાને સુનિશ્ચિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે જેથી ઉમેદવારો અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. GPSC હાલ જે સવાલોનો સામનો કરી રહ્યું છે, તેને લઈને એ જોવા જેવું રહેશે કે સંસ્થા આ પડકારોને કેવી રીતે ઉકેલશે અને તેની પ્રામાણિકતાને ફરીથી કેવી રીતે સ્થિર કરશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News