
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં યોજાયેલા તાલુકા લેવલના આદિવાસી દિવસ કાર્યક્રમમાં એક પત્રકારનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં યોજાયેલા તાલુકા લેવલના આદિવાસી દિવસ કાર્યક્રમમાં એક પત્રકારનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું.
આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે. કાળા કપડાં પહેરીને પત્રકારિતા કરવી ગુનો છે કે કેમ, એ પ્રશ્ન પત્રકારો વચ્ચે ચર્ચા કરી રહી છે. સ્વચ્છ છબી ધરાવતા અને સત્યતા પર આધારિત સમાચાર લખતા પત્રકાર સલમાન મોરાવાલા Santrampur પુલીસ માટે આંખમાં કણ જેવી સ્થિતિમાં છે.
આ ઘટનામાં, સલમાન મોરાવાલાને કયા અધિકારીના આદેશથી છ કલાક સુધી ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં બંધક બનાવી રાખવામાં આવ્યા, તે પ્રશ્ન ઉઠ્યો છે.
પત્રકારોના આક્રોશને ધ્યાનમાં રાખીને, પીઆઈ અને અસભ્ય વર્તન કરનાર પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્ડ કરવાની માંગ થઈ રહી છે. જો તાત્કાલિક પગલાં ન લેવાય, તો પત્રકારો દ્વારા ગાંધી ચિધાયા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે.
રિપોર્ટર:- સલમાન મોરાવાલા (સંતરામપુર)