
Punjab National Bank Alert: લાખો ગ્રાહકો માટે મહત્વની જાણકારી છે કે પંજાબ નેશનલ બેન્ક (PNB) માં વર્ષો સુધી ઉપયોગ ન થયેલા સેવિંગ્સ ખાતા માટે KYC કરાવવાની મર્યાદા વધારીને 30 જૂન 2024 સુધી કરવામાં આવી છે.
Punjab National Bank Alert: લાખો ગ્રાહકો માટે મહત્વની જાણકારી છે કે પંજાબ નેશનલ બેન્ક (PNB) માં વર્ષો સુધી ઉપયોગ ન થયેલા સેવિંગ્સ ખાતા માટે KYC કરાવવાની મર્યાદા વધારીને 30 જૂન 2024 સુધી કરવામાં આવી છે. જો આ સમયગાળા સુધી KYC ન કરાવવામાં આવે તો આ ખાતાઓ બંધ થઈ જશે.
જો તમારું PNB માં બચત ખાતું છે અને તમે વર્ષોથી તેનો ઉપયોગ ન કર્યો હોય, તો તાત્કાલિક તેના સ્ટેટસની ચકાસણી કરો. બેન્કે જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી ઉપયોગમાં ન આવેલાં અને શૂન્ય બેલેન્સવાળા ખાતાઓને બંધ કરવામાં આવશે. એવા ખાતાઓ ધરાવતાં ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી છે, અને નોટિસ મોકલ્યા પછી એક મહિનામાં ખાતા બંધ થઈ જશે. ખાતા ચાલુ રાખવા માટે શાખામાં જઈને KYC કરાવવું જરૂરી છે.
કેટલાંક ઠગો લાંબા સમયથી ઉપયોગમાં ન આવતાં ખાતાઓનો દુરૂપયોગ કરે છે. આ મામલાઓને નિયંત્રિત કરવા માટે બેન્કે આ મહત્વપૂર્ણ પગલું લીધું છે. 30 એપ્રિલ 2024 સુધીના આંકડાઓના આધારે આ ખાતાઓનું મૂલ્યાંકન થશે. જેના આધારે છેલ્લા 3 વર્ષથી નિષ્ક્રિય રહેતા તમામ ખાતાઓ એક મહિના પછી બંધ થઈ જશે. બેન્કે પહેલાથી જ આવા ગ્રાહકોને નોટિસ મોકલી છે.
महत्वपूर्ण सूचना!📢📢#announcement #PNB #Saving #Digital #Banking #account #alert #notice pic.twitter.com/RUb6d8BOHX
— Punjab National Bank (@pnbindia) June 16, 2024
જો ખાતું નિષ્ક્રિય બની ગયું હોય અને ગ્રાહક તેને ફરી સક્રિય કરવા માગે છે, તો તેમને શાખામાં જઈને KYC ફોર્મ ભરવું પડશે. સાથે જ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. આ પ્રક્રિયા પછી તેમનું ખાતું ફરી સક્રિય થઈ જશે. વધુ માહિતી માટે ગ્રાહકો બેન્કમાં સંપર્ક કરી શકે છે.
બેન્ક ડેમેટ ખાતાઓ બંધ નહીં કરે. આ નિયમ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY), અતલ પેન્શન યોજના (APY) અને માઇનર સેવિંગ્સ અકાઉન્ટ્સ પર લાગુ નહીં થાય.
ગ્રાહકોને અનુરોધ છે કે તેઓ તેમના ખાતાની સ્થિતિ ચકાસી અને જરૂરી KYC પ્રોસેસ પૂર્ણ કરે.