
ગુજરાતમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. UGVCLના નવા MD તરીકે અજય પ્રકાશની નિમણૂક, તેમજ સુજલ મેયાત્રા અને બી.એમ.પ્રજાપતિને પણ મહત્વના પદો મળ્યા.
ગુજરાતમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. UGVCLના નવા MD તરીકે અજય પ્રકાશની નિમણૂક, તેમજ સુજલ મેયાત્રા અને બી.એમ.પ્રજાપતિને પણ મહત્વના પદો મળ્યા.
રાજ્ય સરકારે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ IAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપ્યા છે. ખાસ કરીને UGVCL MD પદનો વધારાનો હવાલો પણ નક્કી કરવામાં આવ્યો છે. અજય પ્રકાશ, સુજલ મેયાત્રા અને બી.એમ.પ્રજાપતિના નવા જવાબદારીઓ અંગેનો આ નિર્ણય રાજ્યના વહીવટીતંત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અજય પ્રકાશ (IAS RR:GJ:2011), હાલ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) ના ડાયરેક્ટર છે. તેમને હવે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે. આ પહેલા આ પદે રહેલા અરુણ મહેશ બાબુ, IASનું ટ્રાન્સફર થયું છે, જે બાદ આ જવાબદારી અજય પ્રકાશને સોંપવામાં આવી છે. સાથે જ તેમને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના પણ વધારાના ચાર્જની જવાબદારી આપવામાં આવી છે.
સુજલ જયંતિભાઈ મેયાત્રા (IAS RR:GJ:2011), હાલ ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે કાર્યરત છે. હવે તેમને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (GLPC) ના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તેઓ ગ્રામીણ વિસ્તારમાં જીવન યાપનના સ્તર સુધારવાના કામો માટે વધુ સક્રિય રહેશે.
બી.એમ.પ્રજાપતિ (SCS:GJ:2014) પણ હાલમાં ગ્રામીણ વિકાસ કમિશનરેટ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેમને હવે ગુજરાત સ્ટેટ રૂરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (GSRDC) ના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપાયો છે.
રાજ્યના વહીવટીતંત્ર માટે આ નવા નિયુક્તિઓ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક અધિકારી પોતાની કાર્યશૈલી અને અનુભવે નવી દિશા આપી શકે છે. ખાસ કરીને UGVCL જેવી મહત્વપૂર્ણ સંસ્થા માટે નવા MD અજય પ્રકાશ પાસેથી લોકોને અસરકારક કામગીરીની અપેક્ષા છે.