Vadodara Awas Yojana: આવાસ યોજનાના ખાલી મકાનો માટે વડોદરા મહાનગરપાલિકા કરશે ડ્રો, ફટાફટ અહીંથી કરો અરજી

Vadodara Awas Yojana: વડોદરા મહાનગરપાલિકા (VMC) સહયોગથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા મકાનોનો ડ્રો કરવાનું જાહેર કર્યું છે.

Author image Aakriti

Vadodara Awas Yojana: વડોદરા મહાનગરપાલિકા (VMC) સહયોગથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા મકાનોનો ડ્રો કરવાનું જાહેર કર્યું છે. આ યોજનામાં અલગ અલગ વિસ્તારમાં આવેલા 220 મકાનોની જાહેરાત કરવામાં આવી છે અને રસ ધરાવતા લોકોએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ કર્યો છે.

કયા વિસ્તારમાં કેટલા મકાન ખાલી?

  • સયાજીપુરા: EWS કેટેગરીના 22 મકાન
  • તાંદલજા: 21 મકાન
  • સયાજીપુરા: LIG-1 કેટેગરીના 39 મકાન
  • ગોત્રી: LIG-2 કેટેગરીના 102 મકાન
  • વાસણા: 13 મકાન
  • MIG કેટેગરી: 36 મકાન

અરજી માટે કેવી રીતે ફોર્મ ભરવું?

વડોદરા મહાનગરપાલિકા - પ્રધાનમંત્રી આવાસ યોજનાના વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 27મી જુલાઈ 2024 સાંજે 6 વાગ્યા સુધીની છે. અરજકર્તાઓએ 1 મહિનામાં ફોર્મ ભરવાના રહેશે અને તમામ જરૂરી વિગતો અપલોડ કરવી પડશે.

કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન માટે રાવપુરા ઓફિસ ખાતે અફોર્ડેબલ હાઉસિંગ વિભાગનો સંપર્ક કરી શકાય છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર