CM પદેથી રાજીનામું આપશે કેજરીવાલ?, બે દિવસમાં નિર્ણય - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

CM પદેથી રાજીનામું આપશે કેજરીવાલ?, બે દિવસમાં નિર્ણય

જેલમાંથી છૂટ્યા પછી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

Author image Gujjutak

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવીને મોટો રાજકીય ધડાકો કર્યો છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે તે બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. કેજરીવાલે જણાવ્યું છે કે તેમને જેલમાં જાવાનું કારણ તેમની પાર્ટી તોડવાનો પ્રયાસ છે.

કેજરીવાલે આ મુદ્દે દિલ્લી અને દેશની જનતા સામે સવાલ ઊભો કર્યો છે કે તેઓ ઈમાનદાર છે કે ગુનેગાર?. કેજરીવાલે જણાવ્યું કે જો જનતા તેમને ઈમાનદાર માને તો આવતા ચૂંટણીમાં મત આપે, અને  જો તેમને ગુનેગાર માને તો મત ના આપે. તેઓનું કહેવું છે કે જ્યારે જનતા ફેંસલો કરશે, ત્યારે જ તે CM પદ પર રહેવા માટે નિર્ણય લેશે.

આમ આદમી પાર્ટી તેની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે, જે કેજરીવાલના રાજીનામા પછી CM પદ સંભાળશે. આ નવા મુખ્યમંત્રી ચૂંટણી સુધી દિલ્લીનું નેતૃત્વ કરશે.

પૂર્વ સાંસદ રમેશ બિઘૂડીએ આ મુદ્દે કેજરીવાલ પર ટકોર કરી છે અને જણાવ્યું છે કે કેજરીવાલને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સચિવાલય અથવા CM ઓફિસમાં જવાની મનાઈ છે, અને તેઓ સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોઈ ફાઈલ સાઇન નહીં કરે.

કેજરીવાલ 177 દિવસની જેલ કાલખંડ બાદ તાજેતરમાં જ બહાર આવ્યા છે, જ્યારે તેમને CBI કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News