જન્માષ્ટમીના પાવન પર્વ પર શ્રી કૃષ્ણના જન્મની કથા જાણીએ

હજારો વર્ષ પહેલાંની આ વાત છે. ઉત્તર ભારતના મથુરા નામના શહેર પર ઉગ્રસેન નામના રાજાનું રાજ હતું. એ રાજાનો દીકરો કંસ બહુ ખરાબ માણસ હતો. આ ક્રૂર કંસે પોતાના જ પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા અને પોતે ગાદી પર બેસી ગયો. પછી એક વાર કંસને આકાશવાણી સંભળાઈ કે તારાં બહેન-બનેવી એટલે કે દેવકી-વસુદેવનું આઠમું સંતાન … Read more

પેનિસિલિનની શોધ કોણે અને ક્યારે કરી? જાણો એક ક્લિક પર

શરીરમાંના જીવાણુઓને મારવા માટે વપરાતી દવા એન્ટિબાયોટિક તરીકે ઓળખાય છે. સાચા અર્થમાં જેને એન્ટિબાયોટિક કહી શકાય તેવી પહેલી જે દવા શોધાઈ તે પેનિસિલિન હતી. અસલમાં પેનિસિલિનની શોધ આકસ્મિક રીતે થઈ હતી. થયું એવું કે લંડનની મેડિકલ કોલેજના બેક્ટેરિયોલોજીના પ્રોફેસર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બે અઠવાડિયાંના વેકેશન પછી પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમણે સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયાના સંવર્ધન … Read more

પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે કે પછી ચારે તરફ ફેલાય? જાણો અહીં

બાળમિત્રો, તમને કદાચ નળિયાંવાળાં ઘરમાં રહેવાની તક મળી હશે તો તમે જોયું હશે કે છાપરાના નળિયાં વચ્ચેની કોઈ નાનકડી જગ્યામાંથી સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ ઘરમાં પ્રવેશે ત્યારે એ પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જવાને બદલે નાનકડું ગોળાકાર ચાંદરડું રચે છે. મતલબ કે પ્રકાશનાં એ કિરણો નળિયામાંથી ઘરમાં પ્રવેશ્યા બાદ ચારે બાજુ દોડાદોડી કરવાને બદલે એક મર્યાદિત … Read more

વૃદ્ધાશ્રમની મુલાકાત

શાંતિલાલનો નાનો પરિવાર એક ગામમાં સુખેથી રહેતો હતો. પરિવારમાં તેમની પત્ની સરિતા અને પુત્ર રાજન હતો. શાંતિલાલ નજીકના શહેરમાં આવેલી ‘વડીલ વૃંદાવન’ સંસ્થામાં સંચાલક તરીકે નોકરી કરતા હતા. રાજનને એક મિત્ર હતો જેનું નામ સાજન હતું. એ અવારનવાર મિત્રના ઘેર જતો હતો. રાજન જાણતો હતો કે તેના આ મિત્રના પરિવારમાં રોજ ઝઘડા થતા હતા. ઘરમાં … Read more