ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે

Gandhinagar News: ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ પર સરકારની કડક કાર્યવાહી, 276 કર્મચારીઓને ચાર્જશીટ અપાઈ

Author image Aakriti

જિલ્લાના 276 આરોગ્ય કર્મચારીઓને અચોક્કસ મુદતની હડતાલના કારણે સર્વિસ બ્રેકની ચાર્જશીટ આપવામાં આવી છે. આ પગલાં બાદ કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું છે અને રૂબરૂ સાંભળવાની માંગ કરી છે. જિલ્લામાં ચાલતી આ હડતાલ અને તેની પર લેવાયેલા કડક નિર્ણયોની ચર્ચા ગરમાઈ છે.

જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું?

જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ અનુસાર, બચાવનામું રજુ કરેલા કર્મચારીઓને રૂબરૂ સાંભળવા એક તક આપવામાં આવશે. ત્યારબાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. હડતાલનું સમર્થન કરનાર કર્મચારીઓએ રાજય સરકાર દ્વારા લેવાયેલા પગલાંને અન્યાયી ગણાવ્યા છે અને લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

આરોગ્ય વિભાગે કડક પગલાં ભર્યા

રાજ્યના આરોગ્ય વિભાગે એસ્મા (ESMA) કાયદા હેઠળ હડતાલને ગેરકાયદેસર જાહેર કરી છે. જે અંતર્ગત:

  • કારણદર્શક નોટીસ ફટકારી

  • સર્વિસ બ્રેક માટે ચાર્જશીટ જારી

  • સીસીસી અને હિન્દી પરીક્ષા પાસ ન કરનારા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાના સંકેત

આ પગલાં હડતાલ તોડી પાડવા માટે લેવાયા છે, પરંતુ કર્મચારીઓ હમણા સુધી ઝૂકવા તૈયાર નથી.

24 કલાકમાં જવાબ આપવાનો આદેશ

જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા 276 કર્મચારીઓને ચાર્જશીટ આપીને માત્ર 24 કલાકમાં જવાબ આપવા કહેવામાં આવ્યું. સામાન્ય રીતે એક મહિના જેટલો સમય અપાતો હોય છે, પરંતુ આ વખતની ઝડપથી લેવાયેલા નિર્ણયથી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે.

કર્મચારીઓનો પ્રતિક્રિયા અને લડત

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખના જણાવ્યા મુજબ, અમારા હક્ક માટે લડત ચાલુ રહેશે. કર્મચારીઓનું કહેવું છે કે હમણા સુધી કોઈ પણ કર્મચારી નોકરી પર પાછા ફરવા તૈયાર નથી. સરકારના પગલાંને તેઓ માનસિક દબાણ બનાવવા માટેની નીતિ માને છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News