
IPL 2025 માં CSK ની હાર બાદ MS ધોનીના 9માં નંબરે બેટિંગ કરવા પર વીરેન્દ્ર સહેવાગે ઉડાવી મજાક. જાણો શું કહ્યું સહેવાગે?
ગઈકાલે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ હાર કરતાં પણ વધુ ચર્ચાનું કારણ બન્યું MS ધોનીનું 9મા નંબરે બેટિંગ કરવા આવવું. સામાન્ય રીતે ધોની અંતિમ ઓવરમાં ક્રીઝ પર જોવા મળે છે, પણ આ વખતે 16મી ઓવરે પહોંચી ગયા પછી તે મેદાનમાં આવ્યો, જેને લઈને ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોમાં ભારે ચર્ચા થઈ.
સહેવાગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, અને ચાહકો પણ આ વિશે મજાકભરી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 197 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે 32 બોલમાં 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી. જવાબમાં CSK માત્ર 146 રન જ બનાવી શકી અને 50 રનથી હારી ગઈ. ચેન્નાઈની ચેપોક સ્ટેડિયમમાં આ CSK ની RCB સામેની પહેલી હાર હતી.
CSK ની આ હાર અને ધોનીના 9મા નંબરે આવવાના નિર્ણય પર હજુ પણ ચર્ચાઓ ચાલુ છે. હવે જોવું રહ્યું કે આગામી મેચોમાં ધોની કઈ રીતે રમીને જવાબ આપે છે!