આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત

આધાર કાર્ડ વડે હવે ઘરે બેઠા 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવો સરળતાથી. જાણો કયા દસ્તાવેજો જરૂરી છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

Aadhaar Card Loan આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત
Author image Aakriti

આધાર કાર્ડ વડે હવે ઘરે બેઠા 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવો સરળતાથી. જાણો કયા દસ્તાવેજો જરૂરી છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.

આજના આ ડિઝિટલ યુગમાં આધાર કાર્ડ પર ઓનલાઈન લોન લેવી ખૂબ જ સરળ બની ગઈ છે. અત્યારે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેન્ક સ્ટેટમેન્ટ જેવા બેઝિક દસ્તાવેજ વડે તમે આસાનીથી લોન મેળવી શકો છો.

લોન લેવા માટે સરકારની કેટલીક સ્કીમ છે જેના વડે તમે આશાનીથી લોન મેળવી શકો છો જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, મુદ્રા લોન યોજના અને આવી જ અન્ય સરકારી યોજના મારફત સરળતાથી લોન માટે અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ ખાસ કરીને એવાલોકોને મળે છે જે નાના વેપારી અને શેરી વિક્રેતાઓ આ યોજના ખૂબ ઉપયોગી સાબીત થઇ શકે છે.

સામાન્ય રીતે લોન લેવા માટે ઘણાબધા દસ્તાવેજની જરૂર પડતી હોય છે અને કચેરીના ધક્કાઓ પણ ખાવા પડતાં હોય છે, પરંતુ હવે સરકારની એવી કેટલીક સ્કીમ છે જેમાં તમારે કોઈ જાજા કાગળની જરૂર રહેતી નથી ફક્ત તમારું આધાર કાર્ડ જે તમારી ઓળખ અને સરનામાનો પુરાવો બનશે પરંતુ તેના માટે તમારું આધાર કાર્ડ એ તમારા બેન્ક ખાતા સાથે લિન્ક હોવું જરૂરી છે.તેમના વેબસાઈટ કે એપ્લિકેશન પર જઈને આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. OTP મારફતે તમારી ઓળખની પુષ્ટિ થયા બાદ પાન કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરીને અરજી કરી શકો છો. માત્ર 24થી 48 કલાકમાં લોન મંજૂર થઈ શકે છે.

સરકારની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ પણ શેરી વિક્રેતાઓને 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. આ લોન માટે અરજી કરવા માટે તમારે pmsvanidhi.mohua.gov.in પર જવું પડશે અને આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવો પડશે. અહીંથી તમે 10,000થી લઈને 50,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને તે પણ 7 ટકા વ્યાજ સબસિડી સાથે. આ યોજનાનો લાભ 18 થી 36 મહિનાના સમયગાળા માટે મળી શકે છે.

મુદ્રા યોજના હેઠળ શિશુ, કિશોર અને યુવા કેટેગરીમાં લોન ઉપલબ્ધ છે, જ્યાં તમે 50 હજારથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. આવી સરકાર પ્રેરિત યોજનાઓના માધ્યમથી નાની અને મધ્યમ સ્તરની વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે હવે સરળતાથી નાણાંકીય સહાય મેળવી શકાય છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News