આ લોકોને નહીં મળે આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સારવાર, હોસ્પિટલ જતા પહેલા ચેક કરો લિસ્ટ - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

આ લોકોને નહીં મળે આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સારવાર, હોસ્પિટલ જતા પહેલા ચેક કરો લિસ્ટ

Ayushman Bharat Yojana અંતર્ગત આ લોકો ને મફત સારવારનો લાભ મળશે નથી. જાણો કઈ શ્રેણીના લોકો pm-jay હેઠળ લાભ લઇ શકતા નથી અને સારવાર પહેલા શું તપાસવું જોઈએ.

Ayushman Bharat Yojana pm-jay
Author image Aakriti

Ayushman Bharat Yojana એટલે કે pm-jay દ્વારા દેશભરના લાખો લોકોને મફત સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકારની આ પહેલ ખાસ કરીને તે લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી, જેમની આર્થિક સ્થિતિ નબળી છે અને જેઓ ગંભીર બીમારીની સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. Ayushman Bharat Yojana હેઠળ પેનલમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળતો હોય છે.

હાલમાં, pm-jay હેઠળ લાખો લાભાર્થીઓ મફત સારવારનો લાભ લઈ રહ્યા છે. પરંતુ ઘણીવાર લોકો એ ભૂલ કરી જાય છે કે દરેક ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. સત્ય એ છે કે કેટલાક વર્ગના લોકોને આ યોજનાનો લાભ મળતો નથી. ત્યારે આજે આપણે જાણીશું કે કોણ આ યોજના માટે અયોગ્ય છે.

આયુષ્માન ભારત યોજનાનો લાભ કોને નથી મળતો?

સરકાર દ્વારા સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવ્યું છે કે એવા લોકો જેમણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે, તેઓ Ayushman Bharat Yojanaના લાભ માટે પાત્ર નથી. સાથે જ, તેઓ પણ જે લોકો સરકારી નોકરીમાં છે અથવા સંઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને ESIC (Employees' State Insurance Corporation) દ્વારા લાભ લઈ રહ્યા છે, તેમને પણ આ યોજના હેઠળ મફત સારવાર મળતી નથી.

આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ ગરીબી રેખા (BPL)ની ઉપર જીવન જીવી રહ્યો છે, તો તે પણ pm-jayનો લાભ નથી લઈ શકતો. કારણ કે આ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે આવતાં પરિવારો માટે જ રચાયેલ છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ગંભીર બીમારી દરમિયાન મદદ મળી શકે.

70 વર્ષથી ઉપર વયના નાગરિકો માટે વિશિષ્ટ શરત

જ્યાં સુધી વરિષ્ઠ નાગરિકોની વાત છે, ત્યારે જો કોઈ વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુ છે અને તેની આર્થિક સ્થિતિ યોગ્ય ધોરણે પરખાઈ છે, તો તે Ayushman Bharat Yojanaનો લાભ લઈ શકે છે. સરકારએ આ માટે ખાસ વ્યવસ્થા કરી છે કે ઉંમરલાયક નાગરિકોને વધુ સુરક્ષા અને આરોગ્ય સેવાઓ મળી રહે.

હૉસ્પિટલ જતાં પહેલાં તપાસો લિસ્ટ

જો તમે કોઈ ખાસ સારવાર માટે હોસ્પિટલ જવા ઇચ્છો છો, તો હંમેશા એ તપાસવું જરૂરી છે કે હોસ્પિટલ Ayushman Bharat Yojana હેઠળ પેનલમાં સમાવિષ્ટ છે કે નહીં. તેમજ તમારું પાત્રતા પ્રમાણપત્ર પણ તપાસવું જરૂરી છે. જો તમારું નામ સરકાર દ્વારા જાહેર કરાયેલા લાભાર્થીઓના લિસ્ટમાં છે, તો જ તમે સંપૂર્ણ મફતમાં સારવાર મેળવી શકો છો.

Ayushman Bharat Yojana એટલે કે pm-jay ભારત સરકારનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે, જેનો લક્ષ્ય છે આરોગ્ય સેવાઓની પહોંચ દરેક નબળા વર્ગના નાગરિકો સુધી પહોંચાડવી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો પહેલા તમારી પાત્રતા ચકાસો અને પછી આગળ વધો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News